Friday 17 June 2011

ગુર્જરી ગિરા

જે જન્મતાં આશિષ હેમચન્દ્રની
પામી, વિરાગી જિનસાધુઓએ
જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ-મીરાં-
અખા તણે નાદ ચડી ઉમંગે
આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની
દ્રઢાય ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાન્તે, દલપત પુત્રે
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા 
ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

 – ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)

No comments:

Post a Comment